Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 385 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] गिरिं नहेहिं खणह अयं दंतेहिं खायह ।
जायतेयं पाएहि हणह जे भिक्खुं अवमन्नह ॥ Translated Sutra: જે ભિક્ષુની અવમાનના કરે છે, તેઓ નખોથી પર્વત ખોદે છે, દાંતોથી લોઢું ચાવે છે, પગોથી અગ્નિને કચડે છે. મહર્ષિ આશીવિષ છે, ઘોર તપસ્વી છે, ઘોર પરાક્રમી છે, જે લોકો ભિક્ષુને ભોજનકાળે વ્યથિત કરે છે, તેઓ પતંગ સેનાની માફક અગ્નિમાં પડે છે. જો તમે તમારું જીવન અને ધનને ઇચ્છતા હો, તો બધા મળીને, નતમસ્તક થઈને, આ ઋષિનું શરણુ લ્યો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 394 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] इमं च मे अत्थि पभूयमन्नं तं भुंजसु अम्ह अनुग्गहट्ठा ।
बाढं ति पडिच्छइ भत्तपानं मासस्स ऊ पारणए महप्पा ॥ Translated Sutra: આ અમારું પ્રચૂર અન્ન છે. અમારા અનુગ્રહાર્થે તેને સ્વીકારો. પુરોહિતના આ આગ્રહથી મહાત્માએ તેની સ્વીકૃતિ આપી અને એક માસની તપશ્ચર્યાના પારણાને માટે આહાર – પાણી ગ્રહણ કર્યા. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 396 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सक्खं खु दीसइ तवोविसेसो न दीसई जाइविसेस कोई ।
सोवागपुत्ते हरिएससाहू जस्सेरिसा इड्ढि महानुभागा ॥ Translated Sutra: પ્રત્યક્ષમાં તપની જ વિશેષતા દેખાઈ રહી છે, જાતિની કોઈ વિશેષતા દેખાતી નથી. જેની આવા પ્રકારની મહાન ઋદ્ધિ છે, તે મહાનુભાગ હરિકેશ મુનિ ચાંડાલપુત્ર છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१३ चित्र संभूतीय |
Gujarati | 422 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सव्वं विलवियं गीयं सव्वं नट्टं विडंबियं ।
सव्वे आभरणा भारा सव्वे कामा दुहावहा ॥ Translated Sutra: સર્વે ગીતગાન વિલાપ છે, સમસ્ત નાટ્ય વિડંબના છે. સર્વે આભરણ ભાર છે અને સર્વે કામભોગ દુઃખપ્રદ છે. અજ્ઞાનીને સુંદર દેખાતી પણ વસ્તુતઃ દુઃખકર કામભોગોમાં તે સુખ નથી, જે સુખ શીલગુણોમાં રત, કામનાઓથી નિવૃત્ત તપોધન ભિક્ષુઓને છે. સૂત્ર સંદર્ભ– ૪૨૨, ૪૨૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१३ चित्र संभूतीय |
Gujarati | 441 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] चित्तो वि कामेहि विरत्तकामो उदग्गचारित्ततवो महेसी ।
अनुत्तरं संजम पालइत्ता अनुत्तरं सिद्धिगइं गओ ॥ –त्ति बेमि ॥ Translated Sutra: કામભોગોથી નિવૃત્ત, ઉગ્ર ચારિત્રી અને તપસ્વી મહર્ષિ ‘ચિત્ર’ અનુત્તર સંયમ પાલન કરીને, અનુત્તર સિદ્ધિ ગતિને પામ્યા. તેમ હું કહું છું. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१४ इषुकारीय |
Gujarati | 442 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] देवा भवित्ताण पुरे भवम्मी केई चुया एगविमानवासी ।
पुरे पुराणे उसुयारनामे खाए समिद्धे सुरलोगरम्मे ॥ Translated Sutra: દેવલોક સમાન સુરમ્ય, પ્રાચીન, પ્રસિદ્ધ અને સમૃદ્ધિશાળી ઇષુકાર નગર હતું. તેમાં પૂર્વજન્મમાં એક જ વિમાન વાસી કેટલાક જીવો દેવાયુ પૂર્ણ કરી અવતરિત થયા. પૂર્વકૃત પોતાના બાકીના કર્મોને કારણે તે જીવો ઉચ્ચ કુળોમાં ઉત્પન્ન થયા. સંસાર ભયથી ઉદ્વિગ્ન થઈને કામભોગોનો પરિત્યાગ કરીને જિનેન્દ્ર માર્ગનું શરણ સ્વીકાર્યું. પુરુષત્વ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१४ इषुकारीय |
Gujarati | 449 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अह तायगो तत्थ मुनीण तेसिं तवस्स वाघायकरं वयासी ।
इमं वयं वेयविओ वयंति जहा न होई असुयाण लोगो ॥ Translated Sutra: આ સાંભળીને પિતાએ તેમની તપસ્યામાં બાધાકર આ વાત કરી – વેદોના જ્ઞાતા કહે છે કે, ‘‘અપુત્રિકોની ગતિ થતી નથી.’’ હે પુત્રો ! પહેલાં વેદોનું અધ્યયન કરો, બ્રાહ્મણોને ભોજન આપો, વિવાહ કરી સ્ત્રીઓ સાથે ભોગો ભોગવો. પછી પુત્રોને ઘરનો ભાર સોંપી અરણ્યવાસી પ્રશસ્ત મુનિ બનજો. સૂત્ર સંદર્ભ– ૪૪૯, ૪૫૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१४ इषुकारीय |
Gujarati | 451 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सोयग्गिणा आयगुणिंघनेनं मोहाणिला पज्जलणाहिएणं ।
संतत्तभावं परित्तप्पमाणं लोलुप्पमाणं बहुहा बहुं च ॥ Translated Sutra: સૂત્ર– ૪૫૧. પોતાના રાગાદિ ઇંધણથી પ્રદીપ્ત તથા મોહરૂપ પવન વડે પ્રજ્વલિત શોકાગ્નિના કારણે જેમનું અંતઃકરણ સંતપ્ત તથા પરિપ્ત છે. મોહગ્રસ્ત થઈ અનેક પ્રકારે દીનહીન વચન બોલી રહ્યા છે. સૂત્ર– ૪૫૨. જે ક્રમશઃ વારંવાર અનુનય કરી રહ્યા છે, ધન અને કામભોગોનું નિમંત્રણ આપી રહ્યા છે, તે કુમારોએ સારી રીતે વિચારીને કહ્યું | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१४ इषुकारीय |
Gujarati | 457 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] घनं पभूयं सह इत्थियाहिं सयणा तहा कामगुणा पगामा ।
तवं कए तप्पइ जस्स लोगो तं सव्व साहीणमिहेव तुब्भं ॥ Translated Sutra: જેની પ્રાપ્તિને માટે લોકો તપ કરે છે, તે વિપુલ ધન, સ્ત્રીઓ, સ્વજનો અને ઇન્દ્રિયોના મનોજ્ઞ વિષયભોગ – તમને અહીં જ સ્વાધીન રૂપથી પ્રાપ્ત છે. પછી ભિક્ષુ શા માટે બનો છો ?) | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१४ इषुकारीय |
Gujarati | 475 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा य भोई! तनुयं भुयंगो निम्मोयणिं हिच्च पलेइ मुत्तो ।
एमेए जाया पयहंति भोए ते हं कहं नानुगमिस्समेक्को? ॥ Translated Sutra: હે ભવતિ ! જેમ સાપ પોતાના શરીરની કાંચળીને છોડીને મુક્ત મનથી ચાલે છે, તેમ જ બંને પુત્રો ભોગોને છોડીને જઈ રહ્યા છે. તો હું એકલો રહીને શું કરું? તેમનું અનુગમન શા માટે ન કરું ? રોહિત મત્સ્ય જેમ નબળી જાળને કાપીને બહાર નીકળી જાય છે, તેમ ધારણ કરેલા ગુરુતર સંયમભારને વહન કરનાર પ્રધાન તપસ્વી ધીર સાધક કામગુણોને છોડીને ભિક્ષાચર્યાનો | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१४ इषुकारीय |
Gujarati | 490 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] चइत्ता विउलं रज्जं कामभोगे य दुच्चए ।
निव्विसया निरामिसा निन्नेहा निप्परिग्गहा ॥ Translated Sutra: વિશાળ રાજ્યને છોડીને, દુસ્ત્યજ્ય કામભોગોને તજીને, તે રાજા અને રાણી પણ નિર્વિષય, નિરામિષ, નિઃસ્નેહ અને નિષ્પરિગ્રહી થઈ ગયા. ધર્મને સમ્યક્ જાણીને, ઉપલબ્ધ શ્રેષ્ઠ કામગુણોને છોડીને, બંને યથોપદિષ્ટ ઘોર તપ સ્વીકારીને સંયમમાં ઘોર પરાક્રમી બને. સૂત્ર સંદર્ભ– ૪૯૦, ૪૯૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१५ सभिक्षुक |
Gujarati | 499 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] नो सक्कियमिच्छई न पूयं नो वि य वंदनगं कुओ पसंसं ।
से संजए सुव्वए तवस्सी सहिए आयगवेसए स भिक्खू ॥ Translated Sutra: જે ભિક્ષુ સત્કાર, પૂજા અને વંદના પણ ઇચ્છતા નથી. તે કોઈ પાસેથી પ્રશંસાની અપેક્ષા કઈ રીતે કરશે ? જે સંયત છે, સુવ્રતી છે અને તપસ્વી છે, જે નિર્મળ આચારથી યુક્ત છે, આત્મગવેષી છે, તે ભિક્ષુ છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१७ पापश्रमण |
Gujarati | 553 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] दुद्धदहीविगईओ आहारेइ अभिक्खणं ।
अरए य तवोकम्मे पावसमणि त्ति वुच्चई ॥ Translated Sutra: સૂત્ર– ૫૫૩. જે દૂધ, દહીં આદિ વિગઈઓ વારંવાર ખાય છે, જે તપ અને ક્રિયામાં રૂચિ રાખતા નથી, તે પાપશ્રમણ કહેવાય છે. સૂત્ર– ૫૫૪. જે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વારંવાર ખાતો રહે છે, જે સમજાવવાથી ઊલટો વર્તે છે, તે પાપશ્રમણ કહેવાય છે. સૂત્ર– ૫૫૫. જે આચાર્યનો ત્યાગ કરીને અન્ય પાખંડને સ્વીકારે છે. જે ગાણંગાણિક છે. તે નિંદિત | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१८ संजयीय |
Gujarati | 563 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अह केसरम्मि उज्जाने अनगारे तवोधने ।
सज्झायज्झाणजुत्तं धम्मज्झाणं ज्झियायई ॥ Translated Sutra: તે કેસર ઉદ્યાનમાં એક તપોધન અણગાર સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન હતા, ધર્મધ્યાનને ધ્યાયી રહ્યા હતા. આશ્રવયનો ક્ષય કરનારા તે લતામંડપમાં ધ્યાન કરી રહ્યા હતા. તેમની સમીપે આવેલ હરણનો તે રાજાએ વધ કરી દીધો. સૂત્ર સંદર્ભ– ૫૬૩, ૫૬૪ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१८ संजयीय |
Gujarati | 570 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अभओ पत्थिवा! तुब्भं अभयदाया भवाहि य ।
अनिच्चे जीवलोगम्मि किं हिंसाए पसज्जसि? ॥ Translated Sutra: સૂત્ર– ૫૭૦. સાધુએ કહ્યું – હે રાજા ! તને અભય છે. તું પણ અભયદાતા બન. આ અનિત્ય જીવલોકમાં તું કેમ હિંસામાં સંલગ્ન છે. સૂત્ર– ૫૭૧. બધું છોડીને જ્યારે તારે અવશ્ય લાચાર થઈને જવાનું છે, તો આ અનિત્ય જીવલોકમાં તું કેમ રાજ્યમાં આસક્ત થાય છે? સૂત્ર– ૫૭૨. રાજન્! તું જેમાં મોહમુગ્ધ છે. તે જીવન અને રૂપ વીજળીની ચમક માફક ચંચળ છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१८ संजयीय |
Gujarati | 590 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पडिक्कमामि पसिणाणं परमंतेहिं वा पुणो ।
अहो उट्ठिए अहोरायं इइ विज्जा तवं चरे ॥ Translated Sutra: હું શુભાશુભસૂચક પ્રશ્નોથી અને ગૃહસ્થોની મંત્રણાથી દૂર રહું છું. દિવસરાત ધર્માચરણમાં ઉદ્યત રહુ છું. આ જાણીને તમે પણ તપ આચરણ કરો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१८ संजयीय |
Gujarati | 593 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयं पुण्णपयं सोच्चा अत्थधम्मोवसोहियं ।
भरहो वि भारहं वासं चेच्चा कामाइ पव्वए ॥ Translated Sutra: સૂત્ર– ૫૯૩. અર્થ અને ધર્મથી ઉપશોભિત આ પુન્ય પદને સાંભળીને ભરત ચક્રવર્તી ભારતવર્ષ અને કામભોગોનો ત્યાગ કરી પ્રવ્રજિત થયા. સૂત્ર– ૫૯૪. નરાધિપ સાગર ચક્રવર્તી સાગરપર્યન્ત ભારતવર્ષ અને પૂર્ણ ઐશ્વર્યને છોડીને સંયમ સાધનાથી પરિનિર્વાણને પ્રાપ્ત થયા. સૂત્ર– ૫૯૫. મહાન ઋદ્ધિ સંપન્ન, મહા યશસ્વી, મધવા ચક્રવર્તીએ ભારતવર્ષનો | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१९ मृगापुत्रीय |
Gujarati | 618 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अह तत्थ अइच्छंतं पासई समणसंजयं ।
तवनियमसंजमधरं सीलड्ढं गुणआगरं ॥ Translated Sutra: સૂત્ર– ૬૧૮. મૃગાપુત્રએ ત્યાં રાજપથ ઉપર જતા એવા તપ, નિયમ અને સંયમધર, શીલ સમૃદ્ધ, ગુણોની ખાણ એવા એક સંયત શ્રમણને જોયા. સૂત્ર– ૬૧૯. મૃગાપુત્ર તે મુનિને અનિમેષ દૃષ્ટિથી જુએ છે અને વિચારે છે કે – હું માનું છું કે આવું રૂપ મેં પહેલાં પણ ક્યાંક જોયેલ છે. સૂત્ર– ૬૨૦. સાધુનું દર્શન તથા ત્યારપછી શોભન અધ્યવસાય થતાં, ઉહાપોહ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१९ मृगापुत्रीय |
Gujarati | 638 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तं बिंतम्मापियरो सामण्णं पुत्त! दुच्चरं ।
गुणाणं तु सहस्साइं धारेयव्वाइं भिक्खुणो ॥ Translated Sutra: સૂત્ર– ૬૩૮. ત્યારે માતા – પિતાએ તેને કહ્યું – હે પુત્ર ! શ્રામણ્ય અતિ દુષ્કર છે. ભિક્ષુને હજારો ગુણો ધારણ કરવાના હોય છે. સૂત્ર– ૬૩૯. જગતમાં શત્રુ અને મિત્ર પ્રતિ, સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવાનો છે. જીવન પર્યન્ત પ્રાણાતિપાત વિરતિ ઘણી દુષ્કર છે. સૂત્ર– ૬૪૦. સદા અપ્રમત્તભાવે મૃષાવાદ ત્યાગ કરવો, નિત્ય ઉપયોગપૂર્વક | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१९ मृगापुत्रीय |
Gujarati | 658 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तं बिंतम्मापियरो एवमेयं जहा फुडं ।
इह लोए निप्पिवासस्स नत्थि किंचि वि दुक्करं ॥ Translated Sutra: સૂત્ર– ૬૫૮. ત્યારે મૃગાપુત્રએ માતાપિતાને કહ્યું – તમે જે કહ્યું તે ઠીક છે, પણ આ સંસારમાં જેની તરસ છીપી ગઈ છે, તેને કશું દુષ્કર નથી. સૂત્ર– ૬૫૯. મેં અનંતવાર શારીરિક, માનસિક વેદનાને સહન કરી છે અને અનેકવાર ભયંકર દુઃખ અને ભયને અનુભવ્યા છે. સૂત્ર– ૬૬૦. મેં જરામરણ રૂપ કાંતારમાં, ચાતુરંગ ગતિમાં, ભવાકરમાં ભયંકર જરા મરણને | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१९ मृगापुत्रीय |
Gujarati | 690 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सो बिंतम्मापियरो! एवमेयं जहाफुडं ।
पडिकम्मं को कुणई अरन्ने मियपक्खिणं? ॥ Translated Sutra: સૂત્ર– ૬૯૦. હે માતાપિતા ! તમે જે કહ્યું તે સત્ય છે, પણ વનમાં રહેતા મૃગ – પશુપક્ષીની ચિકિત્સા કોણ કરે છે ? સૂત્ર– ૬૯૧. જેમ વનમાં મૃગ એકલા વિચરે છે, તેમ હું પણ સંયમ – તપ સાથે એકાકી થઈ ધર્મનું આચરણ કરીશ. સૂત્ર– ૬૯૨. જ્યારે મહાવનમાં મૃગને આતંક ઉપજે છે, ત્યારે વૃક્ષની નીચે બેઠેલા તે મૃગની ચિકિત્સા કોણ કરે છે ? સૂત્ર– ૬૯૩. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१९ मृगापुत्रीय |
Gujarati | 702 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पंचमहव्वयजुत्तो पंचसमिओ तिगुत्तिगुत्तो य ।
सब्भिंतरबाहिरओ तवोकम्मंसि उज्जुओ ॥ Translated Sutra: પાંચ મહાવ્રત યુક્ત, પાંચ સમિતિથી સમિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, બાહ્યાભ્યંતર તપોકર્મમાં ઉદ્યત થયા, નિર્મમ, નિરહંકાર, નિસ્સંગ, ગૌરવ ત્યાગી, ત્રસ સ્થાવર સર્વ ભૂતોમાં સમદૃષ્ટિ બન્યા, લાભ – અલાભમાં, સુખ – દુઃખમાં, જીવિત – મરણમાં, નિંદા – પ્રશંસામાં, માન – અપમાનમાં સમ, તથા) ગૌરવ, કષાય, દંડ, શલ્ય, ભય, હાસ્ય, શોકથી નિવૃત્ત, | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१९ मृगापुत्रीय |
Gujarati | 708 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एवं नाणेण चरणेण दंसणेण तवेण य ।
भावनाहि य सुद्धाहिं सम्मं भावेत्तु अप्पयं ॥ Translated Sutra: એ પ્રમાણે જ્ઞાન, ચારિત્ર, દર્શન, તપ અને શુદ્ધ ભાવનાથી આત્માને સમ્યક્પણે ભાવિત કરીને – ઘણા વર્ષો સુધી શ્રામણ્યધર્મનું પાલન કરીને અંતે માસિક અનશનથી તે અનુત્તર સિદ્ધિને પામ્યા. સૂત્ર સંદર્ભ– ૭૦૮, ૭૦૯ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१९ मृगापुत्रीय |
Gujarati | 710 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एवं करंति संबुद्धा पंडिया पवियक्खणा ।
विनियट्टंति भोगेसु मियापुत्ते जहारिसी ॥ Translated Sutra: સૂત્ર– ૭૧૦. સંબુદ્ધ, પંડિત પ્રવિચક્ષણ એમ જ કરે છે. તેઓ મૃગાપુત્ર મહર્ષિ માફક કામભોગોથી નિવૃત્ત થાય છે. સૂત્ર– ૭૧૧. મહાપ્રભાવી, મહાયશા મૃગાપુત્રના તપપ્રધાન ત્રિલોક વિશ્રુત, મોક્ષરૂપ ગતિથી પ્રધાન, ઉત્તમ ચારિત્રને સાંભળીને, સૂત્ર– ૭૧૨. ધનને દુઃખ વિવર્ધક અને મમત્વ બંધનને મહા ભયાવહ જાણીને નિર્વાણગુણ પ્રાપક, | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२० महानिर्ग्रंथीय |
Gujarati | 724 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अप्पहा वि अनाहो वि सेणिया! मगहाहिवा! ।
अप्पणा अनाहो संतो कहं नाहो भविस्ससि? ॥ Translated Sutra: સૂત્ર– ૭૨૪. હે શ્રેણિક ! તું સ્વયં અનાથ છે. હે મગધાધિપ ! જ્યારે તું સ્વયં અનાથ છે, તો કોઈનો નાથ કેવી રીતે બની શકીશ ? સૂત્ર– ૭૨૫. પહેલેથી વિસ્મિત રાજા, મુનિના અશ્રુતપૂર્વ વચનો સાંભળીને અધિક સંભ્રાંત અને અધિક વિસ્મિત થયો. પછી બોલ્યો કે, સૂત્ર– ૭૨૬. મારી પાસે ઘોડા, હાથી, માણસો, નગર અને અંતઃપુર છે. હું મનુષ્યજીવનના બધા | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२० महानिर्ग्रंथीय |
Gujarati | 750 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] इमा हु अन्ना वि अनाहया निवा! तमेगचित्तो निहुओ सुणेहि ।
नियंठधम्मं लहियाण वी जहा सोयंति एगे बहुकायरा नरा ॥ Translated Sutra: સૂત્ર– ૭૫૦. હે રાજન્ ! એક બીજી પણ અનાથતા છે, શાંત અને એકાગ્ર ચિત્ત થઈને મારી પાસેથી સાંભળો. એવા ઘણા કાયરો હોય છે, જે નિર્ગ્રન્થ ધર્મ પામીને પણ સીદાય છે. સૂત્ર– ૭૫૧. જે મહાવ્રતોને સ્વીકારીને પ્રમાદના કારણે તેનું સમ્યક્ પાલન કરતા નથી, આત્માનો નિગ્રહ કરતા નથી, રસોમાં આસક્ત છે, તે મૂળથી રાગદ્વેષ રૂપ બંધનોનો ઉચ્છેદ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२० महानिर्ग्रंथीय |
Gujarati | 765 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एवुग्गदंते वि महातवोधणे महामुनी महापइन्ने महायसे ।
महानियंठिज्जमिणं महासुयं से काहए महया वित्थरेणं ॥ Translated Sutra: એ પ્રમાણે ઉગ્ર, દાંત, મહા તપોધન, મહાપ્રતિજ્ઞ, મહાયશસ્વી તે મહામુનિએ આ મહાનિર્ગ્રન્થીય મહાશ્રુતને મહા વિસ્તારથી કહ્યું. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२२ रथनेमीय |
Gujarati | 845 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] उग्गं तवं चरित्ताणं जाया दोन्नि वि केवली ।
सव्वं कम्मं खवित्ताणं सिद्धिं पत्ता अनुत्तरं ॥ Translated Sutra: ઉગ્ર તપનું આચરણ કરીને બંને કેવલી થયા. બધા કર્મોનો ક્ષય કરીને તેઓએ અનુત્તર ‘સિદ્ધિ’ને પ્રાપ્ત કરી. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 848 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तस्स लोगपईवस्स आसि सीसे महायसे ।
केसीकुमारसमणे विज्जाचरणपारगे ॥ Translated Sutra: સૂત્ર– ૮૪૮. લોકપ્રદીપ ભગવંતપાર્શ્વના જ્ઞાન અને ચરણના પારગામી, મહાયશસ્વી ‘કેશીકુમાર શ્રમણ’ શિષ્ય હતા. સૂત્ર– ૮૪૯. તે અવધિ અને શ્રુતજ્ઞાનથી પ્રબુદ્ધ હતા. શિષ્યસંઘથી પરિવૃત્ત થઇ ગ્રામાનુગ્રામ વિચરતા શ્રાવસ્તી નગરીમાં આવ્યા. સૂત્ર– ૮૫૦. નગરની નિકટ તિંદુક ઉદ્યાનમાં, જ્યાં પ્રાસુક શય્યા અને સંસ્તારક સુલભ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 855 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] केसीकुमारसमणे गोयमे य महायसे ।
उभओ वि तत्थ विहरिंसु अल्लीणा सुसमाहिया ॥ Translated Sutra: સૂત્ર– ૮૫૫. કુમારશ્રમણ કેશી અને મહાયશસ્વી ગૌતમ ત્યાં વિચરતા હતા. બંને આલીન અને સુસમાહિત હતા. સૂત્ર– ૮૫૬. સંયત, તપસ્વી, ગુણવાન અને છકાય સંરક્ષક બંને શિષ્ય સંઘોમાં આવું ચિંતન ઉત્પન્ન થયું. સૂત્ર– ૮૫૭. આ ધર્મ કેવો છે ? અને આ ધર્મ કેવો છે ? અમારા આચાર ધર્મની વ્યવસ્થા કેવી છે? અને તેમની આચાર ધર્મની વ્યવસ્થા કેવી છે? સૂત્ર– | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 896 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] संपज्जलिया घोरा अग्गी चिट्ठइ गोयमा! ।
जे डहंति सरीरत्था कहं विज्झाविया तुमे? ॥ Translated Sutra: સૂત્ર– ૮૯૬. ઘોર પ્રચંડ અગ્નિ પ્રજ્વલિત છે, તે જીવોને બાળે છે. તમે તેને કઈ રીતે બુઝાવી ? સૂત્ર– ૮૯૭. ગૌતમે કહ્યું – મહામેઘપ્રસૂત પવિત્ર જળ લઈને હું તે અગ્નિમાં નિરંતર સીંચુ છું. તેથી સીંચિત અગ્નિ મને બાળતો નથી. સૂત્ર– ૮૯૮. કેશીએ ગૌતમને પૂછ્યું – તે કઈ અગ્નિ છે ? ત્યારે ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું – સૂત્ર– ૮૯૯. કષાય | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२५ यज्ञीय |
Gujarati | 1006 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] खवित्ता पुव्वकम्माइं संजमेण तवेण य ।
जयघोसविजयघोसा सिद्धिं पत्ता अनुत्तरं ॥ –त्ति बेमि ॥ Translated Sutra: જયઘોષ અને વિજયઘોષ મુનિએ સંયમ અને તપ દ્વારા પૂર્વસંચિત કર્મોને ક્ષીણ કરી અનુત્તર સિદ્ધિ પ્રાપ્ત કરી. એમ હું કહું છું. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२६ सामाचारी |
Gujarati | 1027 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पुव्वल्लंमि चउब्भाए पडिलेहित्ताणं भंडय ।
गुरुं वंदित्तु सज्झायं कुज्जा दुक्खविमोक्खणं ॥ Translated Sutra: સૂત્ર– ૧૦૨૭. દિવસના પહેલાં પ્રહરના ચોથા ભાગમાં પાત્રાદિનું પડિલેહણ કરી, ગુરુને વંદના કરી, દુઃખ વિમોક્ષક સ્વાધ્યાય કરે. સૂત્ર– ૧૦૨૮. પોરીસીના ચોથા ભાગમાં ગુરુને વાંદીને કાળને પ્રતિક્રમ્યા વિના જ પાત્રાનું પડિલેહણ કરે. સૂત્ર– ૧૦૨૯. મુખવસ્ત્રિકાનું પડિલેહણ કરી ગુચ્છાનું પડિલેહણ કરે. આંગળીઓથી ગુચ્છા પકડી | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२६ सामाचारी |
Gujarati | 1044 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पासवणुच्चारभूमिं च पडिलेहिज्ज जयं जई ।
काउस्सग्गं तओ कुज्जा सव्वदुक्खविमोक्खणं ॥ Translated Sutra: સૂત્ર– ૧૦૪૪. ૧. યતનામાં પ્રયત્નશીલ મુનિ પછી પ્રસ્રવણ અને ઉચ્ચાર ભૂમિનું પડિલેહણ કરે. ૨ ત્યારપછી સર્વ દુઃખોથી મુક્ત કરનારો કાયોત્સર્ગ કરે. સૂત્ર– ૧૦૪૫. જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી દૈવસિક અતિચારોનું અનુક્રમે ચિંતન કરે. સૂત્ર– ૧૦૪૬. કાયોત્સર્ગ પૂરો કરીને ગુરુને વંદના કરે. પછી અનુક્રમે દૈવસિક અતિચારોની | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२७ खलुंकीय |
Gujarati | 1073 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अह सारही विचिंतेइ खलुंकेहिं समागओ ।
किं मज्झ दुट्ठसीसेहिं अप्पा मे अवसीयई ॥ Translated Sutra: સૂત્ર– ૧૦૭૩. અવિનીત શિષ્યોથી ખેદ પામીને ધર્મયાનના સારથી આચાર્ય વિચારે છે – મને આ દુષ્ટ શિષ્યોથી શો લાભ ? આનાથી તો મારો આત્મા વ્યાકુળ જ થાય છે. સૂત્ર– ૧૦૭૪. જેમ ગળીયા ગર્દભ હોય, તેવા જ મારા આ શિષ્યો છે, એમ વિચારી ગર્ગાચાર્યએ તે આળસુ ગધેડા જેવા શિષ્યોને છોડીને દૃઢતાથી તપ – સાધનાને સ્વીકારી લીધી. સૂત્ર સંદર્ભ– | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1077 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] नाणं च दंसणं चेव चरित्तं च तवो तहा ।
एस मग्गो त्ति पन्नत्तो जिनेहिं वरदंसिहिं ॥ Translated Sutra: વરદર્શી જિનવરોએ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને મોક્ષમાર્ગ બતાવેલ છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1092 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] भूयत्थेणाहिगया जीवाजीवा य पुण्णपावं च ।
सहसम्मुइयासवसंवरो य रोएइ उ निसग्गो ॥ Translated Sutra: સૂત્ર– ૧૦૯૨. પરોપદેશ વિના, સ્વયંના જ યથાર્થ બોધથી અવગત જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ અને સંવરાદિ તત્ત્વોની જે રૂચિ છે તે નિસર્ગ રૂચિ છે. સૂત્ર– ૧૦૯૩. જિનેશ્વર દ્વારા દૃષ્ટ ભાવોમાં તથા દ્રવ્યાદિ ચારથી વિશિષ્ટ પદાર્થોના વિષયમાં ‘આ આમ જ છે, અન્યથા નથી.’ એવી જે સ્વતઃ થયેલ શ્રદ્ધા છે, તે નિસર્ગ રૂચિ છે. સૂત્ર– ૧૦૯૪. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1109 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तवो य दुविहो वुत्तो बाहिरब्भंतरो तहा ।
बाहिरो छव्विहो वुत्तो एवमब्भंतरो तवो ॥ Translated Sutra: તપ બે પ્રકારે કહ્યો છે – બાહ્ય અને અભ્યંતર. બાહ્ય તપ છ ભેદે કહેલો છે. અભ્યંતર તપ પણ છ ભેદે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1110 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] नाणेण जाणई भावे दंसणेण य सद्दहे ।
चरित्तेण निगिण्हाइ तवेण परिसुज्झई ॥ Translated Sutra: જ્ઞાનથી જીવાદિ ભાવોને જાણે છે, દર્શનથી તેનું શ્રદ્ધાન કરે છે, ચારિત્રથી કર્મઆશ્રવનો નિરોધ કરે છે, તપથી વિશુદ્ધ થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1111 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] खवेत्ता पुव्वकम्माइं संजमेण तवेण य ।
सव्वदुक्खप्पहीणट्ठा पक्कमंति महेसिणो ॥ –त्ति बेमि ॥ Translated Sutra: સર્વ દુઃખોથી મુક્ત થવાને માટે મહર્ષિ સંયમ અને તપ દ્વારા પૂર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. તેમ હું કહું છું. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1113 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] तस्स णं अयमट्ठे एवमाहिज्जइ, तं जहा–
संवेगे १ निव्वेए २ धम्मसद्धा ३ गुरुसाहम्मियसुस्सूसणया ४ आलोयणया ५ निंदणया ६ गरहणया ७ सामाइए ८ चउव्वीसत्थए ९ वंदणए १०
पडिक्कमणे ११ काउस्सग्गे १२ पच्चक्खाणे १३ थवथुइमंगले १४ कालपडिलेहणया १५ पायच्छित्तकरणे १६ खमावणया १७ सज्झाए १८ वायणया १९ पडिपुच्छणया २०
परियट्टणया २१ अणुप्पेहा २२ धम्मकहा २३ सुयस्स आराहणया २४ एगग्गमण-सन्निवेसणया २५ संजमे २६ तवे २७ वोदाणे २८ सुहसाए २९ अप्पडिबद्धया ३०
विवित्तसयणासणसेवणया ३१ विणियट्टणया ३२ संभोगपच्चक्खाणे ३३ उवहिपच्चक्खाणे ३४ आहारपच्चक्खाणे ३५ कसायपच्चक्खाणे ३६ जोगपच्चक्खाणे ३७ सरीरपच्चक्खाणे Translated Sutra: તેનો આ અર્થ છે, જે આ પ્રમાણે કહેવાય છે – ૧. સંવેગ, ૨. નિર્વેદ, ૩. ધર્મશ્રદ્ધા, ૪. ગુરુ અને સાધર્મિક શુશ્રૂષા, ૫. આલોચના, ૬. નિંદા, ૭. ગર્હા, ૮. સામાયિક, ૯. ચતુર્વિંશતિ સ્તવ, ૧૦. વંદન, ૧૧. પ્રતિક્રમણ, ૧૨. કાયોત્સર્ગ, ૧૩. પચ્ચક્ખાણ, ૧૪. સ્તવ, સ્તુતિ મંગલ, ૧૫. કાળ પ્રતિલેખના, ૧૬. પ્રાયશ્ચિત્તકરણ, ૧૭. ક્ષમાપના, ૧૮. સ્વાધ્યાય, ૧૯. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1140 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] तवेणं भंते! जीवे किं जणयइ?
तवेणं वोदाणं जणयइ। Translated Sutra: ભગવન્ ! તપથી જીવને શું પ્રાપ્ત થાય છે ? તપથી જીવ પૂર્વસંચિત કર્મોને ક્ષય કરીને વ્યવદાન – વિશુદ્ધિને પ્રાપ્ત થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1144 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] विवित्तसयणासणयाए णं भंते! जीवे किं जणयइ?
विवित्तसयणासणयाए णं चरित्तगुत्तिं जणयइ। चरित्तगुत्ते य णं जीवे विवित्ताहारे दढचरित्ते एगंतरए मोक्खभावपडिवन्ने अट्ठविहकम्मगंठिं निज्जरेइ। Translated Sutra: ભગવન્ ! વિવિક્ત શયનાસનથી જીવને શું પ્રાપ્ત થાય છે ? વિવિક્ત શયનાસનથી જીવ ચારિત્ર ગુપ્તિને પામે છે, ચારિત્રગુપ્તિથી જીવ વિવિક્તાહારી, દૃઢ ચારિત્રી, એકાંતપ્રિય, મોક્ષભાવ પ્રતિપન્ન થઈ આઠ કર્મોની ગ્રંથિની નિર્જરા – ક્ષય કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1155 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] पडिरूवयाए णं भंते! जीवे किं जणयइ?
पडिरूवयाए णं लाघवियं जणयइ। लहुभूए णं जीवे अप्पमत्ते पागडलिंगे पसत्थलिंगे विसुद्धसम्मत्ते सत्तसमिइसमत्ते सव्वपाणभूयजीवसत्तेसु वीससणिज्जरूवे अप्पडिलेहे जिइंदिए विउलतवसमिइसमन्नागए यावि भवइ। Translated Sutra: ભગવન્ ! પ્રતિરૂપતાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? પ્રતિરૂપતાથી જીવ લાઘવતાને પામે છે. લઘુભૂત જીવ અપ્રમત્ત, પ્રકટ લિંગ, પ્રશસ્ત લિંગ, વિશુદ્ધ સમ્યક્ત્વ, સત્ય સમિતિ સંપન્ન, સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોને માટે વિશ્વાસનીય, અલ્પ પ્રતિલેખનવાળા, જિતેન્દ્રિય, વિપુલ તપ અને સમિતિનો સર્વત્ર પ્રયોગ કરનારો થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1172 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] नाणसंपन्नयाए णं भंते! जीवे किं जणयइ?
नाणसंपन्नयाए णं जीवे सव्वभावाहिगमं जणयइ। नाणसंपन्ने णं जीवे चाउरंते संसारकंतारे न विणस्सइ। नाणविनयतवचरित्तजोगे संपाउणइ, ससमयपरसमयसंघायणिज्जे भवइ। Translated Sutra: ભગવન્ ! જ્ઞાન સંપન્નતાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? જ્ઞાન સંપન્નતાથી જીવ બધા ભાવોને જાણે છે. જ્ઞાન સંપન્ન જીવ ચાતુરંત સંસાર વનમાં નષ્ટ થતો નથી. જેમ દોરાથી યુક્ત સોય ક્યાંય પણ પડવાથી ખોવાતી નથી. તેમ સૂત્ર સંપન્ન જીવ પણ સંસારમાં વિનષ્ટ થતો નથી. જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના યોગોને પ્રાપ્ત થાય છે, તથા સ્વસમય અને | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1189 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा उ पावगं कम्मं रागदोससमज्जियं ।
खवेइ तवसा भिक्खू तमेगग्गमणो सुण ॥ Translated Sutra: ભિક્ષુ, રાગ અને દ્વેષથી અર્જિત પાપકર્મનો તપ દ્વારા જે રીતે ક્ષય કરે છે, તેને તમે એકાગ્ર મનથી સાંભળો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1190 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पाणवहमुसावाया अदत्तमेहुणपरिग्गहा विरओ ।
राईभोयणविरओ जीवो भवइ अनासवो ॥ Translated Sutra: પ્રાણવધ, મૃષાવાદ, અદત્ત, મૈથુન, પરિગ્રહ અને રાત્રિભોજનની વિરતીથી જીવો આશ્રવ રહિત થાય છે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, અકાય, જિતેન્દ્રિય, ગારવરહિત, શલ્ય રહિતતાથી જીવો અનાશ્રવ થાય. સૂત્ર સંદર્ભ– ૧૧૯૦, ૧૧૯૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1191 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पंचसमिओ तिगुत्तो अकसाओ जिइंदिओ ।
अगारवो य निस्सल्लो जीवो होइ अनासवो ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૯૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1192 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एएसिं तु विवच्चासे रागद्दोससमज्जियं ।
जहा खवयइ भिक्खू तं मे एगमणो सुण ॥ Translated Sutra: ઉક્ત ધર્મસાધનાથી વિપરીત આચરણ કરવાથી રાગ – દ્વેષથી અર્જિત કર્મોને ભિક્ષુ કયા પ્રકારે ક્ષીણ કરે છે, તેને એકાગ્ર મનથી સાંભળો – કોઈ મોટા તળાવનું પાણી, પાણી આવવાનો માર્ગ રોકવાથી અને પહેલાનું પાણી ઉલેચવાથી અને સૂર્યના તાપથી ક્રમશઃ જેમ સૂકાઈ જાય છે. તે જ પ્રકારે સંયતના કરોડો ભવોના સંચિત કર્મ, પાપકર્મોને આવવાનો | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1193 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा महातलायस्स सन्निरुद्धे जलागमे ।
उस्सिंचणाए तवणाए कमेणं सोसणा भवे ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૯૨ |